Exonerate

jayalalita-verdict-da-case

Exonerate

19 વર્ષ કૉર્ટમાં કેસ ચલ્યા પછી અચાનક જ અપ્રમાણસર મિલ્કત રાખવાના કેસમા જયલલિતાને સાવ નિર્દોષ છોડી દેવાયા. નીચલી કૉર્ટનો ચુકાદો, જેમાં ૪-૫ વર્ષની જેલની સજા અને ૧૦૦ કરોડ રુપિયાનો દંડ સામેલ હતો,ચુકાદો આવતા ૨૪૪ લોકો એ આત્મહત્યા ક હાર્ટ એટેકથી જીવ ખોયો હતો, તેને હાઇ કોર્ટે સાવ રદ કરી નાંખ્યો, કારણ કે જયલલિતાએ જાહેર કરેલી મિલકત કરતા તેની અપ્રમાણસર મળેલી મિલકત ફક્ત ૮.૧૨% જ વધુ નિકળી. જે ૧૦% સુધી વાંધાજનક નથી. આમ બધા દોષોમાંથી મુક્તિ મળે તેને exonerate કર્યુ કહેવાય.

લેટિન શબ્દ exonrare બનેલ આ શબ્દ નો લટિનમાં અર્થ હતો: ભાર ઓછો કરવો. ક્રિમિનલ કાયદામા એક્ઝોનરેટ એટલે જામીન માટે મુકેલ બોંડ પૂરો પાડવો.

આતો અપ્રમાણસર મિલકતનો કેસ છે પણ ઘણી વાર કેટલાય કેસમાં મ્રુત્યુ દંડ અપાયા પછી એવા એવિડંસ મળી આવે કે મરનારને એક્ઝોનરેટ કરવો પડે. લાંબી સજા કે મ્રુત્યુ દંડના કિસ્સાઓમા DNA એવિડંસ ને પરિણામે એક્ઝોનરેટ થવાના દાખલાઓમા વધારો થયો છે. ખોટી રીતે કેદ કરેલા કે મ્રુત્યુ પામેલા હોય એવા કેસ માટે miscarriage of justice જેવા શબ્દો વપરાય છે.

સલમાન ખાન ને હજુ જામીન મળ્યા છે, એક્ઝોનરેટ નથી થયો એટ્લે હજુ થોડો કકળાટ બચાવી રખજો. જયલલિતાને exoneration મળ્યું એમા પણ કહેવાય છે કે ગણિતિક ભુલ છે, જોવાનુ એ કે સરકાર સુપ્રિમમા અપીલ કરે છે કે નહીં. અત્યાર પૂરતુ તો અમ્માને જેલની ઇડલી ખાવાની ટળી ગઈ છે.

Leave a comment